ભરતસિંહ પરમાર
હાલ માં કોરોના એ મહારોગ ની માઝા મૂકી છે.. ત્યારે આજે લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી ત્યારે લીંબડી વિસ્તાર અનેક શહેર, ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પીવાના પાણી, અને ગ્રામ્ય વિસ્તાર માં એસ.ટી. ના રૂટ ચાલુ કરવા માટે નિરાકરણ લાવવા માટે દરેક વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, મામલતદાર, પોલીસ અધિકારીઓ, પી.જી.વી.સી.એલ અધિકારી તેમજ અન્ય કર્મચારી સ્ટાફ સાથે બેઠક કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા કરી હતી જેમ બને તેમ જલ્દી નિરાકરણ લાવશે એવી પદાધિકારીઓ,અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આ સંકલન સમિતિ બેઠક માં ખાત્રી અપાઈ હતી…
આ બેઠક માં દસાડા-પાટડી-લખતર ધારાસભ્ય નૌસદભાઈ સોલંકી, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા.