Aapnu Gujarat
ગુજરાત

એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નોનો ૫ સપ્ટેમ્બર સુધી ઉકેલવામાં નહી આવે તો આંદોલન થશે

એસ ટીના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ઉકેલ નહી આવતા હવે કર્મચારીઓની ધીરજ ખુટી જતા રોષ ભભુકી ઉઠ્‌યો છે. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોને આગામી તારીખ ૧૫મી, સપ્ટેમ્બર સુધી ઉકેલવામાં નહી આવે તો આંદોલનની ચીમકી સાથે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ સંયુક્ત રીતે એસ ટી નિગમના ઉપાધ્યક્ષને લેખિત રજુઆત કરી છે. એસ ટી નિગમના કર્મચારીઓ તારીખ ૧૬મી, સપ્ટેમ્બરથી લડત કાર્યક્રમો યોજવામાં આવશે.ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો છેલ્લા ત્રણેક વર્ષથી ઉકેલ આવતો નથી. કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં કોઇ જ નક્કર પરિણામ નહી આવતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ત્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં સેટલમેન્ટ કરાર મુજબ જુલાઇ-૨૦૧૯થી વધેલી ૫ ટકા મોંઘવારી, વર્ષ-૨૦૧૯-૨૦૨૦નું એક્સગ્રેસીયા બોનસ ચુકવવું. સાતમા પગારપંચની અમલવારી થતાં ઓવરટાઇમની ચુકવણી પાછલી અસરથી કરવી.ગત વર્ષ-૨૦૧૯માં લેખિત સમાધાન મુજબ ૭માં પગારપંચ મુજબ એરિયર્સના છેલ્લા હપ્તાની ચુકવણી કરવી. નિવૃત્ત અને હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓને હક્ક રજાનું રોકડમાં ચુકવણું કરવું. કંડક્ટર કક્ષામાં પગારની વિસંગતતાઓનો તાકિદે ઉકેલ લાવવો. અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવી. ડ્રાઇવર અને કંડક્ટર તેમજ મીકેનીકકક્ષાના કર્મચારીઓની ભરતી તેમજ બઢતી માટે સીસીસીની પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવી. બદલીના નિયમો હળવા કરીને પરિપત્ર નંબર ૨૦૭૭ને રદ કરવો.ફિક્સ પગારી કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો કરવો. કર્મચારીઓને યુનિફોર્મનું કાપડ આપવામાં આવે નહી ત્યાં સુધી કોઇપણ કર્મચારીને યુનિફોર્મના મામલે ડિફોલ્ટ કેસ કરવો નહી. ફિક્સ પગારી કર્મચારીના અવસાન બાદ તેના વારસદારને રૂપિયા ૪ લાખનું આર્થિક પેકેજ આપવું. ગત ૨૧મી અને ૨૨મી, ફેબ્રઆરી-૨૦૧૯ની માસ સી.એલ. રજા મંજુર કરીને કપાતના નાણાં પરત આપવા. નિગમના સેટલમેન્ટ કરાર મુજબના ડી.એ. અને ઓટી તેમજ બોનસ સહિતની અમલવારી કરીને નાણાંની ચુકવણી કરવી સહિતના મુદ્દે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ રજુઆત કરી છે.ઉપરાંત કર્મચારીઓ તારીખ ૧૬મીથી તારીખ ૧૮મી, સપ્ટેમ્બર સુધી કાળીપટ્ટી ધારણ કરશે. ૨૦મી સપ્ટેમ્બર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. ૨૧મી, અને ૨૦મી સપ્ટેમ્બરે રિશેષમાં કર્મચારીઓ સૂત્રોચાર કરશે. તેમ છતાં પ્રશ્નો નહી ઉકેલાય તો ૨૩મી સપ્ટેમ્બરથી માસ સીએલનું શસ્ત્ર ઉગામશે તેમ કર્મચારીઓના ત્રણેય યુનિયની સંક્લન સમિતિએ જણાવ્યું છે.

Related posts

મુખ્‍યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ માટે સહુથી વધુ અરજીઓ કરનારા  વડોદરાવાસીઓને બિરદાવ્‍યા

aapnugujarat

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

aapnugujarat

સુરેન્દ્રનગરના લખતર ખાતે પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1