Aapnu Gujarat
ગુજરાત

મુખ્‍યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ માટે સહુથી વધુ અરજીઓ કરનારા  વડોદરાવાસીઓને બિરદાવ્‍યા

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌરઊર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહવપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ માટે પ૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ ર૦ હજારથી વધુ ઘરોમાં આવાં સોલાર રૂફટોપ માટે અરજીઓ મળી છે. રાજ્ય સરકારે આ હેતુસર બજેટમાં ૩પ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સૌરઊર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ ૧પ કરોડ સાથે કુલ પ૦ કરોડ સોલાર રૂફટોપ માટે ફાળવીને ૩પ થી ૪૦ હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરામાં રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટૂ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું.

ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણયુકત વાહનોના વપરાશથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવા સાથે આર્થિક ફાયદો અને સલામતિના હેતુસર શાળા-કોલેજોના યુવા-વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર માટે રૂ. ૧૦ હજારની સહાયનું વિતરણ કર્યુ હતું.તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોનો ઉપયોગ કરવામાં આવશે.

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વિશ્વ આખું આજે પર્યાવરણ પ્રત્યે ચિંતીત બનીને કલાયમેટ  ચેન્જના પડકારો સામે જાગૃત બની રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિએ તો  સદીઓથી સૂર્યને દેવ તરીકે પૂજીને સૌરઊર્જાનો, પવન, પાણી જેવા કુદરતી ઊર્જાસ્ત્રોતોનો વિનિયોગ કરીને કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા-સભાનતા કેળવી દીધી છે. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન ર૦૧૦માં દેશભરમાં આલયદો કલાયમેટ ચેન્જ વિભાગ રચવાની પહેલ કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા રહે અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું થાય તે માટે ગ્રીન-કલીન એનર્જી, સૂર્ય પવન, પાણીના સ્ત્રોતોનો મહત્તમ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું દાયિત્વ સૌએ નિભાવવું પડશે. તેમણે આવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતમાંથી વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ દર્શાવતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ પેનલથી ઉત્પન્ન થયેલી વિજળી વપરાશ થાય અને વિજ બિલમાં બચત થાય તેવું વાતાવરણ ઊભું કરવું છે. શ્રી વિજય રૂપાણીએ કુદરતી સ્ત્રોતોના વિવેકપુર્ણ-કરકસરયુકત-સવિનય ઉપયોગથી ભાવિ પેઢી માટે ઊર્જા સુરક્ષાનો ધ્યેય સિધ્ધ કરવાની પણ પ્રેરણા આપી હતી.

Related posts

પાટીદાર યુવાનનાં કસ્ટોડિયલ ડેથનાં વિરોધમાં મહેસાણા બંધ દરમિયાન હિંસા : જનજીવન ઠપ

aapnugujarat

વાતાવરણમાં પલટો આવ્યા બાદ પહેલીથી મ્યુનિ. દ્વારા કંટ્રોલરૂમની કામગીરી શરૂ

aapnugujarat

ગણેશોત્સવમાં ૯ ફૂટથી વધુ ઉંચી નહીં બનાવી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1