સુરેશ ત્રિવેદી, ભાવનગર
9 ઓગસ્ટથી ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા સુધી બે વિશેષ ટ્રેનો દોડશે
યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટ, 2021 થી આગામી સૂચના સુધી બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09534 ભાવનગર – સુરેન્દ્રનગર દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 14:00 કલાકે ઉપડશે અને 18:05 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.
ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર – ભાવનગર દૈનિક સ્પેશિયલ સુરેન્દ્રનગરથી 18:30 કલાકે ઉપડશે અને 23:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નં. 09510 ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09510 ભાવનગર – પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 06.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.45 કલાકે પાલિતાણા પહોંચશે.
ટ્રેન નં. 09509 પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09509 પાલિતાણા – ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 08.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 09.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ઉપરોક્ત તમામ ટ્રેનો 9 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતી માટે, યાત્રિયો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે