અમદાવાદ શહેરમાં સવારે ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે.પરંપરાગત વિધિ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ દરમિયાન અમદાવાદમાં ઉપસ્થિત છે. અમિત શાહે સવારે મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લીધો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદમાં જે રૂટ પર રથયાત્રા નીકળવાની છે ત્યાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવેલો છે. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો સંપૂર્ણ રૂટ આશરે 13 કિમીનો છે. સામાન્ય રીતે આ યાત્રા પૂર્ણ થતા 10 કલાકનો સમય લાગે છે પરંતુ કોવિડ કાળમાં શ્રદ્ધાળુઓને હાજર રહેવાની મંજૂરી ન અપાઈ હોવાથી રથયાત્રા 4-5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારી નીકળી છે.
પાછલી પોસ્ટ