Aapnu Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા

વિજયસિંહ સોલંકી, ઘોંઘબા

ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા રાખવામાં આવી.તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆની આગેવાનીમાં રાખવામાં આવેલી સભામાં મોટી સંખ્યામાં ગામમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીની સક્રિયતાથી તાલુકામાંથી ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય વાતાવરણમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનો સંપર્ક કરી રહ્યા છે. જેથી જિલ્લા પ્રમુખે દરેક તાલુકા પ્રમુખને લોક સંપર્ક વધારવા સૂચના આપવામાં આવી છે. આ સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં તાલુકા ઉપપ્રમુખ પ્રમુખ જગદીશભાઈ પરમાર, જિલ્લા યુવા મહામંત્રી ભરતભાઈ રાઠવા સહિતના કાર્યકરો જોડાયા હતા.

Related posts

ઓક્સીમીટરની માંગમાં ૫૦ ટકાનો વધારો

editor

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

editor

હરેન પંડ્યા હત્યા કેસ મામલે પૂર્વ આઇપીએસ ડી. જી. વણઝારાએ પ્રતિક્રિયા આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1