Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં સગર્ભા મહિલાઓને મહિનાના છેલ્લા અઠવાડિયામાં રસી અપાશે

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર છે. હવે તે કોરોના વાયરસથી બચાવ માટે કોરોના વેક્સીન લગાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બીજી જુલાઈએ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યૂનાઇઝેશનની ભલામણોને મંજૂરી કરી લીધી છે.
જેનો મતલબ એ છે કે ગર્ભવતી મહિલાઓ હવે રજીસ્ટર કરાવી શકે છે કે વેક્સીન લગાવવા માટે ટિકાકરણ કેન્દ્ર જઇ શકે છે. રાજ્યમાંમાં આ વેકિસનેશન ડ્રાઇવ માટે આરોગ્ય વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જુલાઈ મહિલાના અંતમાં સગર્ભા મહિલાઓને વેક્સિને આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ અંગે રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને મહિલાઓને કઈ કઈ તકેદારી રાખવી તેની સમજણ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે અભ્યાસ કરી અને વેક્સિનેશન કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર તારીખ પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.કોરોના વેક્સિન આપતા પહેલાં ગુજરાતમાં સગર્ભા મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમાં વેક્સિન શા માટે લેવી, તેના ફાયદા શું?
સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ પણ માસમાં વેક્સિન લઈ શકાય કે નહીં, કસુવાવડનું જાેખમ કેટલું?, બાળક અને માતા પર જાેખમ કેટલું વગેરે જેવી માહિતી આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાના કોઇપણ સ્ટેજ પર વેક્સીન લઇ શકે છે. એક સ્ટડીમાં એ સામે આવ્યું હતું કે કોરોના ઇન્ફેક્શનથી ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ રહી હતી અને તેમાં ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધવાની સાથે ભ્રૂણ ઉપર પણ અસર પડવાની આશંકા હતી.
આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી આપવા અંગે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સીન સુરક્ષિત છે અને કોરોનાથી સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રાખે છે. કોઈપણ દવાની જેમ રસીમાં પણ કેટલીક આડઅસર થઈ શકે છે. જે સામાન્ય રીતે હળવા લક્ષણો હોય છે. જેમ કે હળવો તાવ, ઈન્જેક્શન લીધેલી જગ્યાએ દુખાવો અથવા રસીકરણ પછી ૧-૩ દિવસ માટે અસ્વસ્થતા અનુભવાય વગેર.મંત્રાલયે કહ્યું કે ખૂબ ઓછી (૧૦૦,૦૦૦-૫૦૦,૦૦૦માંથી એક) સગર્ભા સ્ત્રીઓમાં રસીકરણના ૨૦ દિવસમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જાે સગર્ભા સ્ત્રીને કોરોનાનો ચેપ લાગે છે, તો તેમાંથી ૯૦ ટકા મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના સ્વસ્થ થઈ જાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ૩૫ વર્ષથી વધુ વાય ધરાવતી અને મેદસ્વીતા, શુગર અથવા બીપીથી પીડિત મહિલાઓમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ પરેશાનીઓ વધી શકે છે. જાે કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ લાગ્યું છે, તો તેને ડિલિવરી બાદ તરત જ વેક્સીન આપવી જાેઈએ.

Related posts

9 ઓગસ્ટથી ભાવનગરથી બે વિશેષ ટ્રેનો દોડશે

editor

ગુજરાતનો ઇતિહાસ અનોખો છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વખાણ કર્યા

aapnugujarat

બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની હાજરીમાં ફાંસો ખાદ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1