મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિથી પ્રધાનમંત્રીશ્રીને સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ આ સ્થિતીનો ચિતાર મેળવી અતિવૃષ્ટિ પૂર પ્રભાવિત ઉત્તર ગુજરાત વિસ્તારના હવાઇ નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો.