હિમતનગરથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે, વિકાસની વાતો કરતી હિંમતનગર નગરપાલિકાની જીવલેણ બેદરકારી સામે આવી છે. ગત રાત્રે હિંમતનગર નગરપાલિકા હદમા આવેલ અંકિતા ડેરી પાસેના સગુન બંગ્લોઝ નજીક રોડ ઉપર ખુલ્લી ગટરમા ગાય ખાબકી હતી. મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે આ ઘટના ઘટી હતી અને સ્થાનિકોએ આ ઘટનાની જાણ હિંમતનગર ફાયર વિભાગ ને કરતા હિંમતનગર ફાયર ઇન્સ્પેક્ટર પ્રતાપ સિંહ દેવડા સહીત જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે આવી પહોચી ભારે જહેમત બાદ ખુલ્લી ગટરમાથી ફાયરના જવાનો દ્વારા સહીસલામત ગાયને બહાર કાઢવામાં આવી હતી. તો બીજી બાજુ હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમા બે દિવસ અગાઉ પ્રિ – મોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ પ્રિ – મોનસુન કામગીરીની પોલ ખુલી છે. હિંમતનગર નગરપાલિકાની ભૂગર્ભ ગટરના ઢાંકણા બંધ ના કરવાના કારણે અકસ્માત સર્જાય છે. આ અગાઉ પણ હિંમતનગર શહેર મા અનેક વાર અકસ્માત સર્જાયા છે અને અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા છે
આગળની પોસ્ટ