આસામમાં આજે સવારે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો.સિસ્મોલોજી રાષ્ટ્રીય કેન્દ્રએ જણાવ્યુ હતું.ઉત્તર-પૂર્વના તેમજ બંગાળના ભાગોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા.જયારે કોઈના ઘાયલ થયાના કોઈ સમાચાર નથી.પરંતુ દીવાલ તૂટવાના તેમજ દીવાલોમાં તિરાડ પડેલા વિડીયો સામે આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆસામમાં આવેલા ધરતીકંપ અંગે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી હતી. અને ટવીટ કરીને આસામને કેન્દ્ર તરફ થી સહાયનું વચન આપ્યું હતું.સોનોવાલાએ ટવીટ કરીને કહ્યું હતું કે, આ ભૂકંપ એ આસામ ને નુકસાન કર્યું છે.હું સૌની સુખાકારી માટે પ્રાર્થના કરું છું.દરેકે સજાગ રહેવા વિનંતી કરુ છું.
આગળની પોસ્ટ