ભારતમાં વધી રહેલા કોરોના સંકટથી આઇપીએલના સલામત ગણાતા બાયો બબલમાં પણ ખેલાડીઓ હવે ચિંતિત છે અને કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઉપરાંત ભારતના અનુભવી ઓફ સ્પિનર ??રવિચંદ્રન અશ્વિનને પણ લીગ વચ્ચેથી છોડી દીધી છે, જ્યારે બીસીસીઆઇએ કહ્યું હતું કે આ રમત ચાલુ રહેશે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના અશ્વિને ટ્વીટ કર્યું હતું કે, હું આવતીકાલથી આ સીઝનની આઈપીએલમાંથી વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે અને આ મુશ્કેલ સમયમાં તેને મારી મદદની જરૂર છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્ર્યુ ટાઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ(ૈંઁન્ ૨૦૨૧)ની ૧૪મી સીઝન છોડ્યા બાદ તેના સાથી ખેલાડી એડમ જમ્પા(છઙ્ઘટ્ઠદ્બ ઢટ્ઠદ્બટ્ઠ) અને કેન રિચાર્ડસન(દ્ભટ્ઠહી ઇૈષ્ઠરટ્ઠઙ્ઘિર્જહ) પણ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોથી ડરીને આ ત્રણેય ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાંથી તેમના નામ પાછા લેવાનો નિર્ણય લીધો છે. આઈપીએલમાં વિરાટ કોહલીની અધ્યક્ષતામાં એડમ ઝમ્પા અને કેન રિચાડ્ર્સ બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્)નો ભાગ હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર ??રવિચંદ્રન અશ્વિને ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે આરસીબીના બે ખેલાડીઓ રિચાર્ડસન અને ઝામ્પા પણ પરત ફરવા માટે તૈયાર છે.
ટાઇએ સોમવારે દોહાથી ‘સેન રેડિયો’ ને કહ્યું, આના ઘણા કારણો છે પરંતુ મુખ્ય કારણ એ છે કે પર્થમાં ભારતથી પરત ફરી રહેલા લોકોની હોટલોમાં આઈસોલેશનના કિસ્સા વધ્યા છે. પર્થ સરકાર પશ્ચિમ ઓટ્ઠસ્ટ્રેલિયામાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ટાયે કહ્યું કે બાયો બબલમાં રહેવાનો થાક પણ એક કારણ છે. તેમણે કહ્યું, મેં વિચાર્યું હતું કે મને દેશમાં પ્રવેશ ન મળે તે પહેલાં જ રવાના થવું જોઈએ. બાયો બબલમાં લાંબો સમય પસાર કરવો એ ખૂબ કંટાળાજનક છે. ઓગસ્ટથી, હું ફક્ત ૧૧ દિવસથી બાયો બબલની બહાર રહ્યો છું અને હવે હું ઘરે જવા માંગુ છું.
બીસીસીઆઈએ કહ્યું કે લીગ ચાલુ રહેશે. એક અધિકારીએ કહ્યું, ‘આઈપીએલ ચાલુ રહેશે. જો કોઈ લીગ છોડવા માગતુ હોય તો વાંધો નથી. આરસીબીએ એક નિવેદનમાં કહ્યું, એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસન વ્યક્તિગત કારણોસર ઘરે પરત ફરી રહ્યા છે અને બાકીની મેચ નહીં રમે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સંપૂર્ણ રીતે તેની સાથે છે અને તેમની દરેક રીતે મદદ કરી રહ્યું છે.
આગળની પોસ્ટ