Aapnu Gujarat
રાષ્ટ્રીય

તાજમહેલમાં બોમ્બની ખોટી અફવા

તાજમહેલ ને બોમ્બથી ઉડાડી દેવાની એક શખ્સ દ્વારા ફોન કરી ધમકી અપાઈ હતી.આ ફોનની સાથે પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતું. વાત ને ગંભીરતા થી લેતા જાણકારી મળતા જ પોલીસ તંત્ર એ તાજમહેલ ખાલી કરી દીધો હતો. અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ શોધખોળ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બાદ માં પોલીસ દ્વારા એ શખ્સ ની લોકેશન મેળવી તેને ફરીદાબાદ થી ઝડપી લીધો હતો. અને ફરીથી તાજમહેલ ના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.આગ્રાના આઈજી એ જણાવ્યું હતું કે આ વાત માત્ર અફવા છે લોકોએ ડરવાની જરૂર નથી .આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

સજાતીય સંબંધો અપરાધ નથી : સુપ્રીમ

aapnugujarat

૨૦૧૯માં તો હું જ છું,૨૦૨૪માં જોઇશું : મોદી

aapnugujarat

पुरे देश में लागु होगा NRC : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1