Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં ખેડુતો દ્વારા મામલતદાર ઓફિસે વિરોધ પ્રદર્શન કરાયું

વર્ષ ૨૦૧૮ માં એનસી૩૭ ચાવંડથી ઉપલેટા સુધી પીવાના પાણી માટે નર્મદા બલ્ક પાઈપ લાઈનની યોજના જે ૬૦૦.૬૦.કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં ખેડૂતોની જમીન જે ૨૫ મીટર સંપાદન કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોની માંગ એવી છે કે આ યોજનામાં ૨૫ મીટર જમીન જે સંપાદન કરવામાં આવી રહી છે તે ૯ મીટર કરવામાં આવે. આ પહેલાં પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કલેકટર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી જે ખેડૂતોની માંગણી છે તે ૯ મીટરની યથાવત રહેશે. ફરીથી કલેકટર દ્વારા જમીન સંપાદનનો ૨૫ મીટરનો હુકમ આપવામાં આવ્યો છે જેને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ આ વળતર બાબતે જે કિંમત નક્કી કરવામાં આવી છે ખેડૂતોને મંજૂર નથી. આ બાબતે આજરોજ જેતપુર મામલતદાર ઓફિસ અમરનગર, ખીરસરા સહિતના પાંચ ગામના ખેડૂતોએ જે જમીન જેમની સંપાદન થઈ છે તે ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવી છે.
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો

editor

વલસાડના ખેડૂતોને નુકસાન

editor

सनसनीखेज नीलेश रैयाणी हत्या मामले में गोंडल के भाजपा विधायक जयराजसिंह को जेल जाना पड़ेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1