Aapnu Gujarat
ગુજરાત

નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ હવે ઉત્તર ગુજરાત જશે

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટલિ હવે સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ આગામી ૩ સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતની મુલાકાત લેશે. ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત તેઓ અંબાજી માતાના દર્શન સાથે કરશે. પાટિલ આગેવાનો અને કાર્યકરોની સ્થિતિ પણ ચકાસશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ૯૯ બેઠકો જીત્યા બાદ રૂપાણી સરકારની કામગીરી, આંતરિક વિખવાદ અંગેનો વિસ્તૃત અહેવાલ મેળવવાના છે. પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના મત વિસ્તારોનો પણ પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન સીઆર પાટિલ ઉત્તર ગુજરાતના તમામ કાર્યકર્તાઓની મૂંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળશે. ઉલ્લેખનીય છે કે, સીઆર પાટિલ પોતાની રણનિતિ મુજબ કામગીરી શરૂ કરી દીધી છે અને તેઓ સંગઠનમાં ધરમૂળથી બદલાવ લાવાવ માટે સક્રિય થયા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતવાનો તેમનો લક્ષ્યાંક છે.

Related posts

વાસણ-ધાણધા રોડપર યુવક વિજડીપી પર ચઢી ગયો, માનસિક અસ્વસ્થ હોવાનું અનુમાન

editor

Municipal commissioners to continue carrying their regular work of corporations till newly elected bodies take charge

editor

જવાહર ચાવડા-પરિવારની સંપતિ ૮.૫૬ કરોડ વધી : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1