એનસીપી ગુજરાતમાં માન. શ્રી પ્રફુલ પટેલ (સાંસદ – રાજ્યસભા) સાહેબ નાં નેતૃત્વમાં પૂરા ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે મોટું ખેડૂત સંમેલન યોજાશે. જેમાં ખેડૂતોનાં દેવા માફ કરવાથી લઈને, ખેડૂતોને પાક નાં પોષણક્ષમ ભાવ આપીને પાક ની ખરીદી કરવી જોઈએ. ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજ માફી મળવી જોઈએ. ખેડૂતોના વિજ બિલ માફ થવા જોઈએ. આ બધી માંગો લઈને એનસીપી સૌરાષ્ટ્રમાં એક વિશાલ ખેડૂત સંમેલનનું આયોજન કરવા જઈ રહી છે. ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન છે, અને જૂઠ્ઠાણા ફેલાવતી ભાજપ સરકાર ની વિરુદ્ધમાં બધા ખેડૂત ભાઈઓ સહાયોગ આપે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ