Aapnu Gujarat
Uncategorized

ભાજપાનું લક્ષ્ય ચૂંટણી જીતી ગરીબ વ્યક્તિને સમૃદ્ધ કરવાનું ભાજપ રાષ્ટ્રવાદની વિચારઘારાથી કામ કરનારી પાર્ટી – જનકભાઇ બગદાણા

કમલમ ખાતેના કાર્યક્રમમાં હાજરી જનકભાઈ બગદાણા એ આપ માથી બીજેપી માં જોડાયેલા કાર્યકર્તાઓ હોદ્દેદારોને સંબોધન કરતા કહ્યું કે, ભાજપાનું લક્ષ્ય ચૂંટણી જીતી ગરીબ વ્યક્તિને સમૃદ્ધ કરવાનું ભાજપ રાષ્ટ્રવાદની વિચારઘારાથી કામ કરનારી પાર્ટી છે. તેવું તેમણે જણાવ્યું હતું.

જનકભાઇ બગદાણાએ સંબોઘન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ભારત દેશ માટે ખૂબ મહત્વનો છે. ભારતની આઝાદી માટે 1857 થી 1947 સુધી અનેક યુવાનોએ માતાઓએ પોતાની આહુતી આપી છે.

આજના દિવસે આપણા ત્રણ વિરલાઓને અંગ્રેજોએ ફાંસીએ લટકાવ્યા હતા તે વિર શહિદોને નમન. આજે રાષ્ટ્રવાદની વિચારઘારાથી જોડાવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપામાં જોડાવવા બદલ અભિનંદન.

ભાજપ રાષ્ટ્રવાદની વિચારઘારાથી કામ કરનારી પાર્ટી છે. દેશના વડાપ્રધાનએ કયારેય જાતીવાદ અને પ્રાતંવાદને સમર્થન આપ્યુ નથી. ભાજપાનું લક્ષ્ય ચૂંટણી જીતી ગરીબ વ્યકિતને સમૃદ્ધ કરવાનું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, મહામંત્રીશ્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, ઉપાધ્યક્ષઓ, જયંતીભાઇ કવાડીયા, જનકભાઇ બગદાણા, ઘારાસભ્ય મયુરભાઇ રાવલ, યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશના સહ પ્રવકતાઓ ભરતભાઇ ડાંગર, શ્રી ડો. રૂત્વીજ પટેલ, હિતેન્દ્રભાઇ પટેલ, શ્રી બટુકભાઇ વડોદરિયા, ગોપાલભાઇ રાદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શનિવારે સોમનાથમાં શિવ-પાર્વતી વિવાહ

aapnugujarat

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

editor

લીંબડીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1