મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના અધ્યક્ષ તેમજ તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જોકે કેટલા આપ માથી જોડાયા તેને લઈને બીજેપી દ્વારા ફોડ પાડવામાં નથી આવ્યો. પરંતુ આજે વહેલી સવારથી જ 3000 આપ ના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા ની વાત વહેતી થઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે, બટુકભાઇના પ્રયાસથી આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમનું હું સ્વાગત કરુ છું.
દેશના લોકોના ટેક્ષમાંથી જે યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી દીઠ સૌથી વધારે ટેન્ડર જાય ત્યાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્સાહ અલાહ જેવા નારા લગાવવામાં આવે ભારતને ફરી એકવાર વિભાજીત કરીને દેશને તોડવાના સ્વપ્ન જોવાવાળા કેટલાક ગેરમાર્ગે દોરાયેલા જુવાનીયાઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જાય ત્યારે તમે ગુજરાતના છો, ગુજરાતીઓના નસે નસમાં રાષ્ટ્રભક્તિ છે તમને ન ગમે તે સ્વભાવિક છે એટલા માટે આમ આદમી પાર્ટી મુકી અહીં આવ્યા છો તમારું હ્રદયથી સ્વાગત કરુ છું.