મહેશ આસોડિયા, વિજાપુર
ચાતુર્માસ ભગવાનની ઉપાસના દાન પુણ્ય પૂજા પાઠ નો વિશેષ માસ છે શાસ્ત્રોમાં ચાતુર્માસ દરમિયાન ઉપવાસનું વિશેષ મહત્વ રહેલું છે ચાતુર્માસમાં શ્રાવણ,ભાદરવો,આષો,કારતક આમ ચાર માસ નો મહિમા રહેલ છે
વિજાપુરમાં ચાતુર્માસ માં શ્રી રાજસ્થાન પ્રાંતીય ઉત્તર ગુજરાત સ્થાનકવાસી જૈન મહાસંઘ દ્વારા
મહાપુરુષોની જન્મજયંતિ, પુણ્યતિથી, અને વિશેષ “જૈના આગમોં મેં લોક સ્વરુપ”ગ્રંથનું પુસ્તક લોકાર્પણ જેના લેખક વિમલકુમાર નવલખા અને વિમોચન કરતા સુંદરલાલ જી સિયાલ.કૈલાશ જી સિયાલ અને તપસ્વીઓનો અભિનંદન સમારોહ યોજાયો જેમાં ચાતુર્માસમાં ગૌતમમુની, વિનયમુની, સંજય મુનિ,સાગરમુનિ એમ ચાર મહારાજ સાહેબ તેમજ દૂર દૂરથી આવેલા જૈન સમુદાય ના જૈનોતર પ્રમુખ શાંતિલાલ જૈન,મહામંત્રી ગૌતમભાઈ જૈન હાજર રહ્યા હતા.