Aapnu Gujarat
ગુજરાત

‘ ચિત્રકૂટ ધામ’ની મુલાકાત લેતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ મોરારી બાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થયાં હતાં.
રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની આ મુલાકાતમાં તેમના ધર્મપત્નીશ્રી સવિતા ગોવિંદ પણ જોડાયાં હતાં.
બે દિવસીય ભાવનગરની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ પૂ. બાપૂના આશ્રમ તલગાજરડા ખાતે પહોંચ્યાં હતાં. રાષ્ટ્રપતિશ્રીએ આશ્રમમાં શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. તેમણે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈ મોરારીબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો.
આ અવસરે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

પાવીજેતપુર તાલુકામાં જાહેરનામાના ભંગ બદલ ૧૭ વ્યક્તિઓ સામે ગુનો દાખલ દાખલ કરાયો….

editor

દાહોદના બેન્ક મેનેજરની જાહેરમાં હત્યા

aapnugujarat

वडोदरा में लेप्टोस्पाइरोसिस का केज दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1