Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા મહિનામાં બીજી વાર ૧૦૦ થી વધુ નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ કરાયું. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા કોવીડ-૧૯ રીલીફ ફીડીંગ પ્રોગ્રામ અંતર્ગત અક્ષયપાત્રનાં સંપૂર્ણ સહયોગથી ૧૦૦ થી વધુ આજરોજ અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાએ સતત બીજી વખત ૧૦૦ થી વધુ નેત્રહીન પરિવારને અન્નપૂર્ણાં યોજના અંતર્ગત અનાજકીટનું વિતરણ કરી બેરોજગાર થયેલ નેત્રહીનોને સમાજની મુખ્યધારામાં સ્થાપિત કરવા મહત્વનો દાખલો બેસાડ્યો છે.ઉપરોક્ત મેટર સંસ્થાના સભ્યશ્રીઓ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મદદે આવનાર દાતાશ્રીઓ માટે અતિ મહત્વની હોય અને વધુને વધુ દાતા આ સત્કાર્યમાં જોડાય તેવા હેતુસર આપના અતિ પ્રસિદ્ધ માધ્યમમાં વિનામુલ્યે પ્રસિદ્ધ કરવા હાર્દિક અનુરોધ છે

Related posts

अहमदाबाद शहर में २०५.९३ करोड़ रुपये के रास्ते धुल गये

aapnugujarat

Municipal commissioners to continue carrying their regular work of corporations till newly elected bodies take charge

editor

રાહુલ ગાંધી મામલે ઘટનાક્રમ હાસ્યાસ્પદ છે : ભાજપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1