ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે.કૃણાલ શ્રીલંકા પ્રવાસમાં હિસ્સો હતા. ભારત-શ્રીલંકાની ટી-૨૦ મેચનો હિસ્સો હતા. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ હતી. આજની મેચ મહત્ત્વની હતી. પરંતુ કૃણાલ પંડ્યા કોરોના પોઝીટીવ આવતા આજની ટી-૨૦ મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.અત્યારે બન્ને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.