Aapnu Gujarat
Uncategorized

અનૈતિક સંબોધથી જન્મેલી બાળકીની હત્યા કરનાર મહિલા ઝડપાઇ

“મા તે મા બીજા બધા વગડાના વા” કહેવતને લાંછન લાગડતો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી લાશને કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી દીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીની હત્યા કરી લાશને ફેંકનાર મહિલાની ધરપકડ કરી છે. ૪ મહિના પહેલાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે કોચરબ વિસ્તારમાં આવેલા તમામ ઘરો, દવાખાના, હોસ્પિટલમાં ખાનગી રાહે ગર્ભવતી મહિલાઓની તપાસ કરી હતી અને અંતે ઉત્તરપ્રદેશની મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ફેબ્રુઆરી ૨૦૨૧માં કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જે મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.એન ચાવડા અને પીએસઆઇ એ.પી જેબલીયા તેમજ એસ.પી ગોહિલની ટીમે કોચરબ વિસ્તારમાં અલગ અલગ સીસીટીવી, ઘરો, હોસ્પિટલોમાં તપાસ કરી હતી. એએસઆઇ વિજયસિંહ અને અન્ય પોલીસકર્મીઓએ ખાનગી તપાસની બાતમીના આધારે મૂળ ઉત્તરપ્રદેશની શિવાની અજબસિંગ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી પોલીસને ગર્ભવતી હોવાના કાગળો પણ મળી આવ્યા હતા.
પોલીસે પૂછપરછ કરતા આરોપી શિવાનીના ચાર વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં લક્ષ્મીપુરમાં લગ્ન થયા હતા. પતિ અમદાવાદ સિક્યુરિટીમાં નોકરી કરતો હતો. શિવાની ઉત્તર પ્રદેશમાં સયુંકત પરિવારમાં રહેતી હતી. શિવાનીને અનૈતિક સંબંધોથી ગર્ભ રહ્યો હતો. જે બાબતે પતિને જાણ થતાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો પણ થયો હતો. છ મહિના પહેલા જ શિવાની અમદાવાદ પતિ સાથે રહેવા આવી હતી.

Related posts

લોધીકા તાલુકામાં વિકાસના વિવિધ કામો મંજુર કરાયા

aapnugujarat

ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ કરાયો

editor

સંતશ્રી જોધલપીર વંશજ પરમ પૂજ્ય શ્રી લાલદાસબાપુના મંદિરનું કરવામાં આવ્યુ ખાતમૂહુર્ત

editor

Leave a Comment

UA-96247877-1