સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમા અમદાવાદની સ્થિતિ વધુ ભયાનક છે. હાલમાં અમદાવાદની સિવિલ સહિતની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલુ જ નહીં લોકોના અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સ્મશાન ગૃહ બહાર લાગેલી લાઈનો જોઈને શહેરની સ્થિતિ વિશે અંદાજો લગાવી શકાય છે.અમદાવાદ શહેરમા થલતેજ સ્મશાનગૃહ બહાર લાંબી કતારો લાગી છે. જેમા હાલમાં ૧૦ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં છે. તો બીજી તરફ શબવાહિનીનો ખુટી પડતા અન્ય વાહનોમાં મૃતદેહને લાવવાની ફરજ પડી છે. જેમના પ્રાઈવેટ વાન, ટેમ્પોમાં મૃતદેહો લાવવા પડી રહ્યા છે.
પાછલી પોસ્ટ