વિરમગામ શહેરમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજની તારીખે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે ત્યારે વિરમગામ શહેરના વાલ્યાચોક અને ભીમજીઝાલાના મંદિર પાસે મુખ્ય રસ્તા પર બે માળનું મકાન ઘરાશયી થયું હતું. જોકે ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી. શહેરના વીપી રોડ પર આવેલાં ભીમજીઝાલાના મંદિર પાસે મુખ્ય રસ્તા પર આવેલાં પ્રકાશ મહેન્દ્રભાઇ વ્યાસ અને તેમનાં ભાઇ રાજુ વ્યાસ પરિવાર સાથે રહે છે. બે માળનું જુનું મકાન ઘરાશયી થયું હતું જોકે કોઈ જાનહાની થઇ નથી. ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં આવાં અનેક જુનવાણી મકાન આવેલાં છે ત્યારે આજરોજ અન્ય જગ્યાએ વિરમગામના મેલડીનગર વિસ્તારના બજાણીયાપરા વિસ્તારમાં દાલસીંગ મોહનભાઇ નાયકના બે કાચાં મકાન ઘરાશયી થતાં કાટમાળ જમીન દોસ્ત થયું હતું. બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી.
રિપોર્ટર -અમિત હળવદીયા વિરમગામ