Aapnu Gujarat
રાષ્ટ્રીય

અયોધ્યામાં ટ્રકે બસને અડફેટે લેતાં અકસ્માત : ૬ના મોત

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રૂડોલી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ૬ લોકોનાં મોત નીપજ્યાં છે. રૂદૌલી કોટવાલી વિસ્તારના રૌજાગાંવ ફ્લાય ઓવર નજીક આ અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રી યોગીએ અકસ્માતની નોંધ લેતા પીડિતોને તમામ સંભવિત રીતે મદદ કરવાની સૂચના આપી છે. સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ કોતવાલી રૂદૌલી વિસ્તાર હેઠળ લખનૌ-અયોધ્યા માર્ગ પર કાનપુરથી બસ્તી તરફ જઈ રહી હતી. તેવામાં બે રોડવે બસમાંથી આગળ ચાલતી બસને રઝાગાંવ ઓવરબ્રીજ પાસે બાજુમાંથી પસાર થતી ડીસીએમએ ટક્કર મારી હતી. રોડવેઝ બસના ચાલકે અકસ્માતની નોંધ લેવા બસને બાજુમાં પાર્ક કરી હતી. ત્યારે તેની પાછળ આવી રહેલી બીજી બસના ચાલકે પણ બસ અટકાવી હતી અને ડીસીએમ સાથે થયેલા અકસ્માતને જાેઈને ઓવરબ્રીજ નજીક બસનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું.
બસની અંદર મુસાફરી કરી રહેલા યાત્રીઓ પણ બહાર ઉતરી ગયા હતા. તે દરમિયાન લખનૌથી અયોધ્યા તરફ જતા ટ્રકે અનિયંત્રિત અવસ્થામાં બસને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી. ટ્રેલરની ભારે ટક્કરને કારણે બસમાંથી નીચે ઉતરી આવેલા આઠ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતના પગલે સ્થાનિક ગ્રામજનોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ હતી અને આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. ગણતરીના સમયમાં પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધીને તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા હતા. તેમાંથી ૬ લોકોનું મૃત્યું થયું હતું. બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકોનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

Related posts

आम्रपाली ग्रुप के अधूरे हाउसिंग प्रॉजेक्ट्स NBCC करेगा पूरा : सुप्रीम कोर्ट

aapnugujarat

રાજસ્થાન ચુંટણી : રાજપૂતોની નારાજગી ભાજપ માટે પડકાર

aapnugujarat

गिरिराज का बड़ा बयान- हमारे पूर्वजों से भूल हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1