બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ‘એમ.એસ.ધોની’ ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સંદીપ નાહરનું ગોરેગામમાં રહસ્યમય મોત નિપજ્યું હતું. તેઓ ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા . અભિનેતાના ગળા પર શંકાસ્પદ નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. અને બોલીવૂડમાં યોગ્ય સફળતા ન મળતા અને કૌટુંબિક કારણથી આ અભિનેતા હતાશ થઈ ગયા હોવાની શંકા છે. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. અભિનેતા સંદીપ નાહર અને તેની પત્ની ગોરેગામમાં ફ્લેટમાં રહેતા હતા.પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક અભિનેતા સંદીપ નાહરએ અક્ષયકુમાર સાથે કેસરી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.
પાછલી પોસ્ટ