Aapnu Gujarat
Uncategorized

જેતપુર નજીક જૂનાગઢ રોડ પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે જેતપુર ના જૂનાગઢ રોડ પર આવેલ રણુજા સોસાયટી વિસ્તારમાં માં રહેતા જેમલભાઈ નાથાભાઇ સોલંકી ને ત્યાં તેનો ભાણેજ પંકજભાઈ તુષારભાઈ પરમાર ( રહે ગાંધીધામ કચ્છ ) તેમજ તેમનો કૌટુંબિકભાઈ નરેશભાઈ ભવાનભાઈ ધૈડા બત્રે ચોટીલા દર્શન

કરી રોકાવા આવેલ તેઓને પરત ગાંધીધામ જવું હોય માટે સાંજે ૮ વાગ્યાના અસરામાં જેમલભાઈ તેમનું બાઇક હોન્ડા નં.. જીજે ૦૩ એલએન ૧૦૭૨ વાળું લઈ ત્રણે જણા બાઇક પર ટીકીટ લેવા જતા હતા ત્યારે સામેથી સાડી ધોલાઈનો ઘાટ ભરીને આવતું અશોક લેલન છોટા હાથી નં… જીવાય ૦૩ અડબ્લ્યુ ૮૭૪૬ વાળા ચાલકે

સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અથડાવતા બાઇક સવાર ત્રણેય ફંગોળાઈ નીચે રોડ પર પટકાયેલ જેમાં મામા જેમલભાઈ તેમજ નરેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા પોહચતા લોહ લુહાણ હાલતમાં સ્થાનિક લોકો ખાનગી વાહન થી સરકારી હોસ્પિટલે પહોંચાડેલ તેમજ પંકજભાઈ ને પણ ગંભીર ઇજા થયેલ હોય સરકારી હોસ્પિટલે ત્રણેય પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરેલ જેમાં જેમલભાઈ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ પોલીસે છોટા હાથી ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Related posts

ગઢડા સ્વામિનારાયણ મંદિર ચૂંટણી પાંચમીના દિવસે થશે

aapnugujarat

કડી માં કોરોના વાયરેસ અને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા લઇ ને નગરપાલિકા દ્વારા દવા છટકાવ ની સહારનિય કામગીરી.

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1