નાયબ મુખ્યમંત્રીનિતિન પટેલ આજે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ધ્વજારોહણ કર્યું હતું.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે દર્શન-પૂજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર દ્દાદશ જ્યોતિર્લીંગનાં દર્શન-પૂજન કરી નાયબ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિર ખાતે મુખ્યપુજારી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીને મહાપુજા અને ધ્વજા પુજન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિંજયસિંહ ચાવડા સાથે રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ વતી જનરલ મેનેજર ચાવડાએ મોમેન્ટો અર્પણ કરી નાયબ મુખ્યમંત્રનું સન્માન કર્યું હતું.
દર્શન-પૂજન બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારૂ થયું છે, તે આપણા સૈા અને ખાસ કરીને ખેડુતો માટે ખુબ સારૂ છે.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ