સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભાના સભ્ય અમરસિંહે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને આજમખાન ઉપર એક વિડિયો જારી કરીને જોરદાર પ્રહાર કર્યા હતા. આ વિડિયોમાં ખુબ જ ગુસ્સામાં નજરે પડી રહેલા અમરસિંહે આઝમખાન ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આઝમ ખાન એક રાક્ષસ તરીકે છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતાએ અખિલેશના પરિવાર પર કરવામાં આવેલા અહેસાનને યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે તેમના પરિવાર પર મુશ્કેલીઓ આવી પડી હતી ત્યારે કોઇપણ આવતા ન હતા. તે ગાળામાં તેઓ તેમની સાથે રહ્યા હતા. પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં અમરસિંહે કહ્યું છે કે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે કે, વિષ્ણુ મંદિર બનાવવા ઇચ્છા છે. અખિલેશ યાદવને વિષ્ણુ મંદિર બનાવવાનો અધિકાર છે પરંતુ અખિલેશ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ રહ્યા નથી પરંતુ નમાઝવાદી પાર્ટીના અધ્યક્ષ બની ગયા છે. આઝમ ખાનને મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. પુત્રીઓ ઉપર તેજાબ ફેંકવા જોઇએ તેવા નિવેદન કરવામાં આવી રહ્યા છે.
આગળની પોસ્ટ