પતિ અને પત્નીનો સંબંધ સાત સાત જન્મો સુધી હોય છે એમ આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે. પતિ – પત્નીના પ્રેમને લાંછન લગાડતો કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બન્યો છે. ગાંધીનગરમાં એક પત્નીએ તેના પતિને પહેલાં તો ઉંદર મારવાની દવા પીવડાવી પણ તેની અસર ના થતાં રોમેન્ટીક વાતો કરી ચાલો થપ્પો રમીએ કહી ચપ્પાના એટલા ઘા માર્યા કે તેનાં આંતરડા બહાર આવી ગયા. આ ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પત્નીને ગુના આધારિત સિરિયલ જોવાનો ચસકો હતો અને એણે જ ક્રાઈમ પ્લોટ ઘડીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો. તો ચાલો આપણે જાણીએ હકીકત શું છે ?
બનાસકાંઠાના થરાદ નીજક રહેતા વાકજી ચૌધરી અને તેમની પત્ની ઉમિયા હજુ તો ૧૦ દિવસ પહેલાં જ ગાંધીનગર ભાડાના મકાનમાં રહેવા આવ્યાં હતાં. ઉમિયાને વારંવાર પોતાના પિયર જવાની આદત હતી જેનાથી પતિ ઘણો નારાજ રહેતો હતો અને બંન્ને વચ્ચે આવી વાતોને લઈ કંકાસ થયો હતો. આ કંકાસથી કંટાળી ઉમિયાએ પતિને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું હતું. ઉમિયાએ પહેલાં તો ઉંદર મારવાની દવા પીવડાવી પણ તેની અસર ના થતાં થપ્પો રમવાનું કહી પતિને ઉપરા છાપરી ચપ્પાના એટલા ઘા માર્યા કે તેનાં આંતરડા બહાર આવી ગયા અને પતિ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. પતિની કરપીણ હત્યા કર્યાનો ઉમિયાને કોઈ જ પસ્તાવો ન હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કડક પૂછપરછ દરમિયાને ઉમિયાએ આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલી લીધી હતી.