વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે એમ.જી. રોડ ઉપર આવેલા અંબા માતા મંદિરના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. શુક્રવારથી પ્રચારની શરૂઆત કરનાર કોંગ્રેસના ઉમેદવારની સાથે મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ ઉમેદવારની વાજતે-ગાજેતે એમ.જી.રોડ ઉપર નીકળેલી પ્રચાર યાત્રાને પગલે માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, મારી સામે કોઇપણ ઉમેદવાર આવે તેની સામે મારું ધ્યાન નથી. મારું લક્ષ્ય વડોદરા લોકસભા બેઠક કબજે કરવાનું છે. ગત લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મોટા વચનો કેટલા પૂરા થયા છે. તે મતદારો જાણે છે. શિક્ષીત બેરોજગાર યુવાનો, ખેડૂતો, જી.એસ.ટી. અને નોટબંધીથી ત્રાસી ગયેલા નાના-મોટા વેપારીઓનો મૂડ બદલાઇ ગયો છે. તેઓ વડોદરા લોકસભા બેઠક પર પરિવર્તન ઇચ્છી રહી છે. ત્યારે મને વિશ્વાસ છે કે, વડોદરા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસની જીત નક્કી છે. કોંગ્રેસના કાર્યકરો ખભેખભા મિલાવીને પ્રચારના કામમાં જોડાઇ ગયા છે.
પાછલી પોસ્ટ