સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે રાજપૂત મહાકાલ સેનાની સભા યોજાઈ હતી. મહાકાલ સેના ગુજરાતના અગ્રણી ભુગુંવેન્દ્રસિંહ કુંપાવત અને સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ હિતુભા કચ્છવાસની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી. સાબરકાંઠા ક્ષત્રિય સમાજ માટે બલિદાન આપનાર સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાબરકાંઠા જીલ્લામાં મહાકાલ સેનામા ૪૦ કરતાં પણ વધારે યુવાનોની સેનામાં નિમણુંક કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં મહાકાલ સેનામાં જોડવામાં આવશે સમાજને મજબૂત અને એકજુથ કરવા મહાકાલ સેનાના અગ્રણીઓએ જણાવ્યું હતું. નવા નિમણુંક કરેલ હોદ્દેદારોનું નિમણુંક પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહાકાલ સેનાના સભ્યો દ્વારા સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ હિતુભા કચ્છવાસાનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)