સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુર તળાવ પાસે રાત્રિના સમયે રોડ કામને લઈ ઉપરા ઉપરી પાંચ બાઇકો પટકાતા ત્રણ બાઇક સવારો સહિત બાઇક પાછળ બેઠેલી મહિલાને ઈજા પહોંચી છે. ઘાયલોને તુરંત પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. રસ્તાનું કામ ચાલતું હોવાથી રોડ ઉંચો નીચો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે રેડીયમ વાળું બોર્ડ ના મુકતા કે કોઇ નિશાન વાચક બોર્ડ ના મુકતા ઉપરાઉપરી અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
(વિડિયો / અહેવાલ :- ઉમંગ રાવલ, પ્રાંતિજ)