Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં નવા વર્ષે ૪૪ પક્ષીઓએ આકાશ તરફ ઉડાન ભરી

જામનગરમાં સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પરિસર નજીક ૨૦૨૧ના નવા વર્ષ દરમિયાન પાંજરે પુરાયેલા ૪૪ પક્ષીઓને રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતમાં કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરાતા આકાશ તરફ આઝાદીની ઉડાન ભરી હતી. કોઈ પક્ષીને પાંજરામાં પૂરી દેવામાં આવે તો તે શું કરશે ? તે ખૂબ પાંખો ફફડાવશે. વારંવાર તે આ પાંજરામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતું રહેશે. કારણકે તેને ખ્યાલ છે કે સ્વતંત્રતા શું છે ? તેને ખબર છે કે પાંખો ફેલાવીને ઉડવાનો આનંદ કેવો હોય છે. તેને ખબર છે કે ઉડાન શું હોય છે. તેણે આકાશની શાંતિનો આભાસ કર્યો છે જેથી આજે નવા વર્ષન પ્રારંભમાં જ કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ દ્વારા સેવાકીય કાર્યક્રમમાં ૪૪ જેટલા પક્ષીઓને મુક્ત કરાવીને આઝાદીની ઉડાન ભરાવી હતી. આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયા,આર. પી. ઘાડીયા, અનિશભાઈ રામાનીનો સહયોગ મળ્યો હતો અને તેઓ હાજર રહ્યા હતા તે બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો,તેમજ સર્વ ને નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ ઋષિતા સોની (પ્રમુખ ) પ્રાચી કિરકોલ (ઉપપ્રમુખ ) દ્વારા પાઠવવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

बोटाद की चिंतन शिबिर में पास की कोर कमिटी बनेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1