Aapnu Gujarat
ગુજરાત

હિંદુ સંગઠનોએ લવ જેહાદ મામલે વડનગર મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

વડનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ અને હિંદુ સંગઠનો દ્વારા લવ જેહાદ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે વડનગરના મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. પ્રવર્તમાન સમયમાં સમગ્ર દેશમાં લવ જેહાદના નામે અમુક અસામાજિક તત્વો દ્વારા પોતાનો ધર્મ અને જાતિ છુપાવી હિન્દુ ધર્મની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે જાતીય શોષણ તેમજ લગ્નના બનાવો જોવા મળે છે જેથી આવા તત્વોને કાયદાનો ખૌફ રહે અને સમાજની દીકરીઓની જીંદગી સાથે ખિલવાડ ના કરી શકે તેવા આશયથી વડનગર તાલુકા ખાતે સરદાર સેવા દળ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસેસ જેવા હિન્દુ સંગઠનો દ્વારા વડનગરના મામલતદારશ્રીને આવેદનપત્ર આપી લવજેહાદ વિરુદ્ધ કડક કાયદાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર સોંપવામાં એસપીજીના વડનગર તાલુકાના પ્રમુખ ઉત્તમ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા લવ જેહાદ સામે તાજેતરમાં લાવવામાં આવેલા કડક કાયદાની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુધ્ધ કડક કાયદાની માંગ ઉઠવા પામી છે. આ કાર્યક્રમમાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

दक्षिणापथ विद्यालय की होस्टल में तीन विद्यार्थिनी को करंट लगा : एक की मौत

aapnugujarat

કોરોના વાયરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું

editor

કોરોના મહામારી ને લઈ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ માટે ના મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1