ગીર સોમનાથ જીલ્લાના ભાજપ અગ્રણી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોર કુહાડાએ પોતાના જન્મ દિવસ નિમિતે સર્વ સમાજ માટે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ખારવા સમાજની વાડી ખાતે કર્યું હતું. આ કેમ્પમાં નામાંકિત ડૉક્ટરોની ટીમ દ્વારા ૬૦૦થી પણ વધુ લોકોની તપાસ કરાઈ અને દવા આપવામાં આવી છે. બહારથી આવેલા લાભાર્થીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સરકારશ્રીની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો હતો.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)