નોર્થ ઈસ્ટના રાજ્ય ત્રિપુરામાં પહેલી વખત ભાજપને સત્તા મળી છે પણ એવુ લાગે છે કે, ભાજપના નેતાઓ સત્તા પચાવી શક્યા નથી.ત્રિપુરા ભાજપમાં બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે અને મુખ્યમંત્રી બિપ્લબ દેવની સામે પાર્ટીના બીજા નેતાઓએ બળવો કર્યો છે.મળતી વિગતો પ્રમાણએ રવિવારે મળેલી ભાજપની એક બેઠકમાં ભાજપના કાર્યકરોએ પાર્ટીના જ ટોચના નેતાઓ સામે બિપલ્બ દેવ હટાવો….પાર્ટી બચાવોના નારા લગાવ્યા હતા.આ જોઈને નેતાઓ હેરાન થઈ ગયા હતા.જોકે ભાજપના રાષ્ટ્રિય સચિવ અને પાર્ટીના કેન્દ્રિય નિરિક્ષક પાર્ટીમાં કોઈ જાતના મતભેદ હોવાનો ઈનકાર કરી રહ્યા છે.નિરિક્ષક વિનોદ કુમાર સોનકરે અગલતલામાં ગેસ્ટ હાઉસમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી.જોકે એ દરમિયાન બહાર એકઠા થયેલા કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુધ્ધ નારેબાજી શરુ કરી દીધી હતી.ભાજપે સ્થાનિક પાર્ટી આઈપીએફટી સાથે જોડાણ કરીને સરકાર બનાવી છે.જાણકારોનુ કહેવુ છે કે, પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી બિપ્લબ દેવ સામે વિરોધ વધી રહ્યો હતો.આ પહેલા ઓક્ટોબરમાં ત્રિપુરા ભાજપના કેટલાક ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથ મુલાકાત કરીને સરકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પાછલી પોસ્ટ