Aapnu Gujarat
ગુજરાત

વિસનગરમાં ડૉ. બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

સમગ્ર વિશ્વને માનવતાનો સંદેશ આપનાર તથા સમાનતા, બંધુતા, અને સ્વાતંત્ર્યતાનો બોધ શીખવનાર મહામાનવ ભારતીય બંધારણના ઘડવૈયા, વંચિતો, શોષિતો, પિડિતોના મસીહા એવા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૪માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વિસનગર ખાતે એમ.એન.કોલેજ સામે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિસનગર દલિત વિકાસ મંચના પ્રમુખ તથા પૂર્વ નગરપતિ ગણપતભાઈ પરમાર, કોંગ્રેસ શહેર પ્રમુખ મનુજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ વાસણવાળા, બિપિન રાઠોડ વગેરેએ બાબાસાહેબને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ગિરિશ પરમાર તથા સભ્યો દ્વારા પણ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના સંગઠનમાં નવીન વરાયેલા મંત્રી જે.એમ.ચૌહાણ, પૂર્વ જિલ્લા સદસ્ય જે.પી.સોલંકી, તથા પત્રકાર પ્રવિણ સોલંકી, મહેશ રાઠોડ, વિનોદ મકવાણા તેમજ કાંસા ગામ, કાંસા એન.એ. વિસ્તાર તથા વિસનગર શહેર અને તાલુકાની જાહેર જનતાએ સમગ્ર વિશ્વની મહાન વિભૂતિને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
( અહેવાલ :- વિનોદ મકવાણા, વિસનગર)

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપનાર ઝડપાયો

aapnugujarat

गुजरात चुनाव दिसम्बर में आयोजित होगेः चुनाव आयोग का संकेत

aapnugujarat

અમદાવાદમાં માર્ચથી મેટ્રો ટ્રેન દોડવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1