અમદાવાદની આશ્ચર્ય હોટલમાં તા. ૮/૧૧/૨૦૨૦ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર લેખકોની કલમે પુસ્તકનું વિમોચન ઈડરના ધારાસભ્ય હિતુ કનોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. મહેશ – નરેશ કનોડીયાની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડૉ. નરસિંહદાસ વણકર, નિલેશ આચાર્ય, કુમારપાળ પરમાર, નરેશ કે. રાઠોડ, મહેન્દ્ર મકવાણા, એન્કર જયવંતસિહ જાડેજા, પ્રવિણ સોલંકી, ડૉ. પી.એ.પરમાર, મુળજીભાઈ સોલંકી, ડૉ. એમ.જે.સુતરીયા, મહેન્દ્ર સી. મકવાણા તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણાએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા સમગ પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણાનું ડૉ. બાબાસાહેબ આંબેડકરની ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુસ્તકના સંપાદક કુમારપાળ પરમારનું સન્માન સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ ભીખાભાઈ મકવાણાએ વીરમાયાદેવનો ટ્રોફી – પ્રમાણપત્ર તેમજ વીરમાયા દેવના કેલેન્ડરથી હિતુભાઈ કનોડીયા તેમજ ભીખાભાઈ એ. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)
પાછલી પોસ્ટ