Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં અસ્થિ વિસર્જિત કરાયા

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાના રાજકીય કાર્યકાળ બાદ સોમનાથ ટ્રસ્ટમાં સૌથી વધુ સમય સેવા આપી હતી અને સોમનાથમાં આવનાર યાત્રિકો માટે દાતાઓના સહયોગથી ખૂબજ વિકાસના કામો કરેલ છે તેમજ પત્ની સ્વ. લીલાવતીબેન પટેલના નામે પણ કરોડોના ખર્ચે યાત્રિકોના આવાસ માટે લીલાવતી ભવનનું નિર્માણ કરેલ છે જેનો યાત્રિકો લાભ લઈ રહ્યાં છે.

આ ઉપરાંત અનેક કામોને વેગ આપ્યો છે ત્યારે સોમનાથ મંદિરનાં સાંનિધ્યમાં ત્રિવેણી સંગમ નદી ઘાટ પર પુરોહિતો દ્વાર શાસ્ત્રોકત વિધીથી તેમના અસ્થિ વિસર્જીત કરવામાં આવ્યાં હતાં. અહીં તેમના પરિવારજનોની સાથે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

અંધશ્રધ્ધા દુર કરવા સુરત જીલ્લાના કડોદરામાં 400 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

aapnugujarat

WhatsApp पर ही दे दिया तीन तलाक

aapnugujarat

ગૌશાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1