Aapnu Gujarat
ગુજરાત

વસઈ ગામમાં ત્રિદિવસીય વિષ્ણુ યાગ યજ્ઞ યોજાયો

વિજાપુર તાલુકાના વસઈ ગામમાં પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલના નિવાસ સ્થાને પવિત્ર અધિક માસ દરમ્યાન ત્રિદિવસીય વિષ્ણુ યાગ યજ્ઞ યોજાયો હતો જેમાં નરેશ રાવલ અને તેમના ભાઈ નલીન રાવલ મુખ્ય યજમાન છે. યજ્ઞમાં ઉપસ્થિત આચાર્યો દ્વારા વેદ મંત્રોનું ઉચ્ચારણ તેમજ ભગવાન વિષ્ણુ સર્વની રક્ષા કરે તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સ્વ. ગંગારામ રાવલના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી, પ્રભારી રાજીવ સાતવ અને કોંગ્રેસી કાર્યકરો સહિત ગ્રામવાસીઓ દર્શન માટે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

तटीय इलोकों में एंबुलेंस सेवा में बढ़ोत्तरी होगी : राज्य सरकार

aapnugujarat

ડભોઈ રેલવે સ્ટેશનથી સીધા હાઈ-વેને જોડતા માર્ગ પરથી ડિવાઈડર હટાવવા માંગ

editor

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યપદેથી આર.જી. શાહને દૂર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1