ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટલીની નિમણૂંક કરાતા નવનિયુક્ત પ્રમુખ આગામી ૫ સપ્ટેમ્બરનાં રોજ સાબરકાંઠા જિલ્લાની શુભેચ્છા મુલાકાત માટે આવવાના હોય જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા સાબરકાંઠા જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં હિંમતનગરના ડોક્ટરો, વહેપારીઓ અને સંગઠનના કાર્યકરો મિટિંગમાં હાજર રહ્યા હતા. દરેક કાર્યકર સી.આર.પાટીલને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં મુલાકાત કાર્યક્રમ દરમિયાન રાખી વધુ પડતી ભીડ ભેગી ન થાય તેમજ સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવશે. દરેક કાર્યકરે માસ્ક પણ ફરજિયાત પહેરવું પડશે. આ મિટિંગમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સી.આર.પાટીલનું ગુજરાતમાં ક્યાંય સ્વાગત નહીં કરવામાં આવ્યું હોય તેવું સ્વાગત સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવશે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)