એક્ટ્રેસ શિલ્પા શિંદે જાણીતો કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે કામ કરવા ઇચ્છતી ન હતી. તેણે કહ્યું કે શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’માં જોડાતા અગાઉ તેણે નિર્માતાઓને જાણ કરી હતી કે તે સુનીલ ગ્રોવર સાથે કામ નહીં કરે. ટેલિવિઝન અભિનેત્રી શિલ્પા શિંદેએ આજથી પ્રસારિત થનારા કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’નો હિસ્સો બનવા માટે સંમતિ આપી હતી, માત્ર તે ખાતરી સાથે જ કે તે કોમેડિયન અભિનેતા સુનીલ ગ્રોવર સાથે કામ નહીં કરે. હવે શિલ્પા શિંદે શો છોડવાની યોજના બનાવી રહી છે કારણ કે તેને ખોટી માહિતી આપવામાં આવી હતી. સુનિલ ગ્રોવર દોઢ વર્ષ બાદ આ શોની સાથે નાના પડદે કમબેક કરી રહ્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે તે ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’ છોડવા માંગે છે અને તેણે દાવો કર્યો હતો કે શોના નિર્માતાઓ શરૂઆતથી જ તેની સાથે ખોટું જૂઠું બોલ્યા છે. શિલ્પાએ વધુમાં જણાવ્યું હતું કે તે દિવસના ૧૨ કલાકથી વધુ સમય માટે નોન સ્ટોપ શૂટિંગ કરી રહી છે, જ્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે તેણે એક સપ્તાહમાં માત્ર બે જ વાર શૂટિંગ કરવું પડશે. શિલ્પાએ એમ પણ કહ્યું કે તે આ શો કરવા માટે સહમત થઇ કારણ કે તેમને ખાતરી આપવામાં આવી હતી કે તે સુનીલ સાથે કામ નહીં કરે.
શિલ્પા આગળ કહે છે, ‘મને ખોટું કહેવામાં આવ્યું હતું કે તે (સુનીલ ગ્રોવર) શોમાં નથી. પાછળથી મને ખબર પડી કે તે આ શોનો એક ભાગ છે. મેં જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેઓએ આખી કાસ્ટ વિશે મને જણાવ્યું. ત્યારબાદ નિર્માતાએ મને કહ્યું કે તેને મારા રોલ સાથે કોઈ લેવાદેવા નથી, તે કંઈક બીજું જ કરશે.’
આગળની પોસ્ટ