Aapnu Gujarat
ગુજરાત

ભાજપમાં કોંગ્રેસીઓને નૉ એન્ટ્રીના નિવેદન પર હાર્દિક પટેલનો જવાબ, ‘પાટીલ ઉત્સાહમાં જ નિવેદનો કરે છે’

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભાજપના કાર્યકરો અને નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી પેટા-ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢ ખાતે સી.આર. પાટીલે આપેલા નિવાદન મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાઓના કહેવા પ્રમાણે સી.આર. પાટીલ ઉત્સાહમાં આવીને નિવેદનો આપી રહ્યા છે. સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ રાજીવગાંધી ભવન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.આ મામલે પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાલ ભાજપ પાસે નેતાઓની અછત છે. સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ઉત્સાહમાં આવીને નિવેદનો આપી રહ્યા છે. હાલ બીજેપી સરકારમાં ૬૦ ટકા મંત્રીઓ મૂળ કોંગ્રેસી છે. પાટીલ કાર્યકરોને સાચવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. તેઓ નવાં નવાં આવ્યા છે એટલે ઉત્સાહમાં આવી ગયા છે. જો એવું જ હોય તો ગુજરાતની આગામી પેટા-ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા એક પણ નેતાને ટિકિટ ન આપવી જોઈએ.કોંગ્રેસના નેતાઓને ભાજપમાં નૉ એન્ટ્રી મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સી.આર. પાટીલની પાર્ટીમાં હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓ એવું સાબિત કરી રહ્યા છે કે પાર્ટીએ કરેલા કામ ખોટા છે. ભાજપની તાકાત નથી કે તે પોતાના બળે ચૂંટણી જીતી શકે. જો તેઓ પોતાની વાત કાયમ રાખવા માંગતા હોય તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ટિકિટ ન આપવી જોઇએ. તેઓ પોતાના લોકોને ટિકિટ આપીને ચૂંટણી જીતી બતાવે.સી.આર. પાટીલે જૂનાગઢ ખાતે બીજેપીના કાર્યકરોને સંબોધન કરતા ભાજપને હવે કોંગ્રેસના નેતાઓની જરૂર નથી તેવું નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે, ઘણાં બીજેપી કાર્યકરોને એવું લાગે છે કે કોંગ્રેસમાંથી નેતાઓ શા માટે લાવ્યા? ખરેખર તો તેમને એવું કહેવાનો અધિકાર જ નથી. એવી પરિસ્થિતિ નિર્માણ કરી હશે એટલે પાર્ટીએ આવું કરવું પડ્યું હશે. પરંતુ હવે કોઈને લાવવાની જરૂર નહીં પડે. જે આવી ગયા છે નસીબદાર છે. આ નસીબદાર લોકોમાં જવાહર ચાવડા પણ સામેલ છે. આજે હું જવાહરભાઈને પ્રથમવાર મળ્યો. મને લાગે છે કે આપણી પાર્ટીમાં એવા લોકો જોડાયા છે જેમને ખરેખર લોકોના કામ કરવામાં રસ છે. કોંગ્રેસ હવે રહી જ નથી. તમારા ગામાંથી એક એવા વ્યક્તિને શોધીને લાવો જે કહે કે હું કોંગ્રેસી છું, તો હું રાજીનામું ધરી દઉં.

Related posts

પીરાણા નજીક ગણેશનગરના છાપરામાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ

aapnugujarat

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

નારાજગી વચ્ચે ભાજપના વધુ એક નેતા કાનજી પટેલનું રાજીનામુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1