‘બેરોજગારીનું અંધારું ને બેકારી ની રાત, જન વેદના લાવે ઉજળું પ્રભાત’ ના નારા સાથે.આગામી તારીખ ૩૦ નવેમ્બરના રોજ કોંગ્રેસ જનવેદના આંદોલન અમદાવાદ ખાતે કરવા જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાટણ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભરતસિંહ વાઘેલા, ધારાસભ્યશ્રી ડો. કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભાવિક રામી, તાલુકા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ શંકરલાલ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ દર્શિત પટેલ, એસસી સેલના જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ, પાટણ નગર પાલિકાના ઉપ પ્રમુખ લાલેશ ઠક્કર, જિલ્લા તાલુકાના સદયસ્યો, કોર્પોરેટરો, જિલ્લા , તાલુકા, શહેરના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
આગળની પોસ્ટ