Aapnu Gujarat
ગુજરાત

બીટકોઈન કેસ : નલિન કોટડિયાની ધરપકડ માટે કોર્ટમાં કરાયેલ અરજી

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન નાનજીભાઇ કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં આખરે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦નું વોરંટ મેળવવા અરજી દાખલ કરી દેવાઇ છે. સરકારપક્ષ તરફથી કેસની સંવેદનશીલ હકીકતો, તપાસનો તબક્કો અને કોટડિયાનું કેસમાં નાસતા ફરતા રહેવાનું વલણ સહિતના મુદ્દાઓ ટાંકી કલમ-૭૦નું વોરંટ જારી કરી આપવા માંગણી કરવામાં આવી હતી. જેની સુનાવણી પૂર્ણ થઇ જતાં સ્પેશ્યલ કોર્ટે સીઆઇડી ક્રાઇમની આ અરજી પર તા.૧૭મી મેના રોજ ચુકાદો મુલત્વી રાખ્યો છે. સીઆઇડી ક્રાઇમ તરફથી કરાયેલી અરજીમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચકચારભર્યા બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે પરંતુ રાજય સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, બિટકોઈનના ગોરખધંધામાં જે કોઈ સંડોવાયેલું છે તેની ધરપકડ નિશ્ચિત છે. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે. આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૭૦ હેઠળનું વોરંટ જારી કરી આપવું જોઇએ કે જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે. સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા સીઆઇડી ક્રાઇમની આ અરજીની સુનાવણી અને રજૂઆત ધ્યાનમાં લીધા બાદ અરજીનો પરનો ચુકાદો તા.૧૭મી મે પર ટાળ્યો હતો.

 

Related posts

गुजरात के २०३ जलाशय में से ५० जलाशय हाईअलर्ट पर

aapnugujarat

નર્મદા ડેમ સાઇટ ખાતે ભારતના વડાપ્રધાનશ્રીના આગામી સંભવિત મુલાકાતના સૂચિત કાર્યક્રમના સ્થળોની મહેસુલ મંત્રીશ્રી ચૂડાસમા અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવીએ લીધેલી મુલાકાત

aapnugujarat

ભાવનગરમાં કોંગ્રેસના જીતના જશ્નમાં ટોળાએ ઘરમાં ઘૂસીને દલિતની કરી હત્યા

editor

Leave a Comment

UA-96247877-1