ગઢડાથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરહવા જણાવે છે કે,કોરોના ની વિકટ પરિસ્થિતિ માં જ્યારે કોરોના લક્ષણ વાળા દર્દી ની પાસે જવા પણ કોઈ ન હતા તેવા કપરા સમય માં 108 ના કર્મચારીઓ પોતના જીવન જોખમ માં નાખી ને કોરોના દર્દી ને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવા માં સારી એવી કામગીરી કરી હતી, તેમજ રાત દિવસ ફરજ બજાવી દર્દી ના જીવ બચાવવા મહત્ત્વ નું યોગદાન આપ્યુ હતું.
આ સમય માં ઉમદા કાર્ય કરવા બદલ ગઢડા 108 ના સ્ટાફ ને પ્રોત્સાહન પૂરું પાડવામાં માટે અમદાવાદના 108 ઇમર્જન્સી ના HR હેડ આશિષ ધોમસે સાહેબ , ચેતન જાદવ , PM ચેતન ગાધે સાહેબ , EME પ્રદીપ જાસોલિયા , કરુણા એનિમલ 1962 ના PC સંજય ઢોલા સહિત ના સાહેબો એ ગઢડા 108 તથા ગઢડા ખિલખિલાટ ટીમ ની મુલાકાત લીધી હતી.
પાછલી પોસ્ટ