Aapnu Gujarat
રાષ્ટ્રીય

જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓના મોત

રાજસ્થાનના જોધપુર પાસેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જોધપુર પાસેના અચલાવતા ગામમાંથી ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તમામ મૃતક પાકિસ્તાનના વિસ્થાપિત છે. જેઓ અતલાવતા ગામમાં ખેતીનું કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકોની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા ગામે એક જ પરિવારના ૧૧ લોકોના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આસપાસના ગ્રામજનોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને આ મામલાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મૃતકોમાં ૨ પુરૂષો, ૪ મહિલાઓ, ૫ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક જાણકારી અનુસાર મૃતક પરિવાર પાકિસ્તાન વિસ્થાપિત ભીલ સમાજના છે. અને તેઓ થોડાક સમય પહેલા પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ તમામ લોકો ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા, અને પાસે બનેલી ઝોંપડીમાં રહેતા હતા. પ્રાથમિક તબ્બકે આ તમામની મોત ઝહેર ખાવાથી અથવા કીટનાશક દવાથી થઈ હોવાની વાત સામે આવી રહી છે.

Related posts

યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓ ફસાયા

aapnugujarat

देश में टुकड़े-टुकड़े गैंग का समर्थन करने वाली कांग्रेस : सीतारमण

aapnugujarat

केन्द्रीय चुनाव आयोग की टीम आज अहमदाबाद पहुंचेंगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1