શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે જન્મદિને ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વિડિયો કોલિંગના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ, મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કર્યો હતો. કેશુભાઈના જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવને કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, મહાપૂજન કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલને ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)
આગળની પોસ્ટ