હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટેબલ પર પારદર્શક એક્રેલિકની બેરીકેટ લગાવામાં આવી છે.
પોલીસ સ્ટેશને આવતા લોકો અને ફરિયાદ ટેબલ પર બેસતા પોલીસકર્મી એમ બંનેના સ્વાસ્થ્યને ધ્યાને લેતા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલિકની બેરીકેટ લગાવામાં આવી છે. આ નવતર પહેલથી નાગરિકો તેમજ પોલીસકર્મીઓની સુરક્ષા થઈ શકશે. કોરોના વાયરસનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોય પોલીસકર્મીઓ કાયદાના પાલન માટે અનેક જગ્યાએ જતા-આવતા હોય છે સાથે પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)